કેટલાક લોકો એવા પણ છે…

કેટલાક લોકો એવા પણ છે, જે માનવતાની સીમા ઓળંગી જાય છે ! મૃગજળની જેમ તે, આજની નારીને છેતરી જાય છે ! કેટલીય દ્રૌપદીના ચીરહરણ થાય છે ! ખેંચાય છે તમારા વસ્ત્ર, દ્રૌપદી ઉઠાવો હવે શસ્ત્ર ! યુધિષ્ઠિરના સત્યને શસ્ત્ર બનાવીને, સાચવો પોતાના સન્માનને ! ઉઠાવો અર્જુનનું ગાંડીવ ધનુષ્ય, ને હણી નાખો દુષ્ટ મનુષ્ય! ઉઠાવો ભીમની ગદા, કરો વધ ,જે ભૂલ્યું મર્યાદા ! ઉઠાવો નકુલ-સહદેવની તલવાર, ને કરો દુષ્ટો પર પ્રહાર ! ઉઠાવો શ્રીકૃષ્ણનું સુદર્શન, છીનવી લો દુષ્ટોનું જીવન ! દ્રૌપદી ઉઠાવો હવે શસ્ત્ર, ને શરૂ કરો મહાભારત ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻

About the author

નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment