જાત ભૂલી માણસાઈના ગીતો ગાય છે……

જાત ભૂલી માણસાઈના ગીતો ગાય છે, આતમના અંધારે જ્ઞાનની વાતો થાય છે ! ઈશ્વરને તો ભૂલી ગયો, ઠીક છે, પણ માણસ માણસ દૂર થતો જાય છે ! માણસાઈના પાઠ ભણાવનારો માણસ, આજે માણસથી જ છેતરાતો જાય છે ! જાત ભૂલી માણસાઈના ગીતો ગાય છે, પરંતુ અંતરમાં અંધકાર છવાતો જાય છે. 'યારા' અજ્ઞાન જ્ઞાન બની ફેલાતું જાય છે, કેમ કે,તકનીકનો દુરુપયોગ વધતો જાય છે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻

About the author

નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment