જાત ભૂલી માણસાઈના ગીતો ગાય છે……

જાત ભૂલી માણસાઈના ગીતો ગાય છે,
આતમના અંધારે જ્ઞાનની વાતો થાય છે !

ઈશ્વરને તો ભૂલી ગયો, ઠીક છે,
પણ માણસ માણસ દૂર થતો જાય છે !

માણસાઈના પાઠ ભણાવનારો માણસ,
આજે માણસથી જ છેતરાતો જાય છે !

જાત ભૂલી માણસાઈના ગીતો ગાય છે,
પરંતુ અંતરમાં અંધકાર છવાતો જાય છે.

'યારા' અજ્ઞાન જ્ઞાન બની ફેલાતું જાય છે,
કેમ કે,તકનીકનો દુરુપયોગ વધતો જાય છે !

~ યાજ્ઞિક રાવલ ✍🏻

About the author

યાજ્ઞિક રાવલ
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment