રાવણ તો સળગે છે,પણ દુશાસન હજુ જીવે છે....

યાજ્ઞિક રાવલ, Yagnik Rawal, Yagnik Raval, રાવણ દહન પર કવિતા, વિજયાદશમી પર કવિતા
 રાવણ તો સળગે છે, પણ દુશાસન હજુ જીવે છે ! આજનો રાવણ , દુશાસન કંઇક બબડે છે, પણ કોણ સાંભળે, માનવ-માનવ ઝઘડે છે ! રાવણ , દુશાસન કહે છે , હું છું તમારી અંદર, મારો અંત કરવો નથી સરળ ! ન્યાય માટે માનવ ભટકે છે, અન્યાય આગળ સત્ય ઝૂકે છે ! બૂરાઈ તો કરી ગઈ છે ઘર, સમાજમાં દૂષણ છે અટલ ! છે આ જ વાસ્તવિકતા આજની, ને તમે કરો વિજયાદશમીની ઉજવણી ! રાવણ તો દર વર્ષે સળગે છે, પણ દુશાસન હજુ જીવે છે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻 (12/10/2024)

About the author

નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment