રાવણ તો સળગે છે,પણ દુશાસન હજુ જીવે છે....
યાજ્ઞિક રાવલ,
Yagnik Rawal,
Yagnik Raval,
રાવણ દહન પર કવિતા,
વિજયાદશમી પર કવિતા
રાવણ તો સળગે છે, પણ દુશાસન હજુ જીવે છે ! આજનો રાવણ , દુશાસન કંઇક બબડે છે, પણ કોણ સાંભળે, માનવ-માનવ ઝઘડે છે ! રાવણ , દુશાસન કહે છે , હું છું તમારી અંદર, મારો અંત કરવો નથી સરળ ! ન્યાય માટે માનવ ભટકે છે, અન્યાય આગળ સત્ય ઝૂકે છે ! બૂરાઈ તો કરી ગઈ છે ઘર, સમાજમાં દૂષણ છે અટલ ! છે આ જ વાસ્તવિકતા આજની, ને તમે કરો વિજયાદશમીની ઉજવણી ! રાવણ તો દર વર્ષે સળગે છે, પણ દુશાસન હજુ જીવે છે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻 (12/10/2024)