માણસ તું ભૂલો પડ્યો,
ધર્મમાં એવો તો લપેટાઈ ગયો,
કે તું માનવતા જ ભૂલી ગયો !
'વસુધૈવ કુટુંબકમ્' નો મર્મ ના સમજ્યો
ને કટ્ટરતાને ધર્મ માની ભેટી પડ્યો !
આસ્તિક-નાસ્તિક નથી કોઈ પંથ ધર્મનો,
છે વાસ્તવિકતા જ સાચો પથ ધર્મનો !
સુખ,શાંતિ,સમૃદ્ધિ સિવાય,બધાની વાતો અહિ થાય .
પાખંડને પૂર્ણ સમજી,અજ્ઞાનને અસ્તિત્વ માની લેવાય!
માણસ તું ભૂલો પડ્યો !
~ યાજ્ઞિક રાવલ ✍🏻
ધર્મમાં એવો તો લપેટાઈ ગયો,
કે તું માનવતા જ ભૂલી ગયો !
'વસુધૈવ કુટુંબકમ્' નો મર્મ ના સમજ્યો
ને કટ્ટરતાને ધર્મ માની ભેટી પડ્યો !
આસ્તિક-નાસ્તિક નથી કોઈ પંથ ધર્મનો,
છે વાસ્તવિકતા જ સાચો પથ ધર્મનો !
સુખ,શાંતિ,સમૃદ્ધિ સિવાય,બધાની વાતો અહિ થાય .
પાખંડને પૂર્ણ સમજી,અજ્ઞાનને અસ્તિત્વ માની લેવાય!
માણસ તું ભૂલો પડ્યો !
~ યાજ્ઞિક રાવલ ✍🏻
(૨૬/૭/૨૫)